ગાંધીનગર

ગુજરાત સહીત દેશના અનેક રાજ્યો બર્ડ ફ્લુની ચપેટમાં આવી ગયા છે. દેશમાં અનેક સ્થળોએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને રાજ્યોને બર્ડ ફ્લુ સામે આગમચેતી પગલા ભરવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અનેક સ્થળે મૃત પક્ષી મળી આવતા ભયનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. ગુજરાતમાં બર્ડ ફ્લુની પુષ્ટ થયા બાદ પક્ષી પ્રેમીઓમાં મિશ્ર લાગણી જાેવા મળી રહી છે. એક બાજુ ભયનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે તો બીજી બાજુ પક્ષીઓ મોત ને કારણે દુખની લાગણી પણ જાેવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લુની એન્ટ્રી થઈ ચૂકી છે. ગત 6 જાન્યુઆરીના રોજ બારડોલી તાલુકાના મઢી ગામે આવેલા રેલવે કોલોનીમાંથી મળી આવેલા મૃત કાગડાઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી જ્યાંથી મૃત કાગડાઓ મળી આવ્યા છે તે જગ્યાની આસપાસ એક કિલોમીટરની ત્રિજ્યામાં કેટલાક પ્રતિબંધો ફરમાવી દીધા છે.

કચ્છમાં ૩૮ કાગડાનાં શંકાસ્પદ મોત થયા છે. અંજારના ભીમાસર ગામમાં કાગડાના મોત થયાછે. ગામના તળાવ પાસેથી મૃત કાગડા મળી આવ્યા છે. બર્ડફ્લૂની દહેશત વચ્ચે ઘટનાથી ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. તો સાથે ગીરસોમનાથમાં પણ પક્ષીઓના શંકાસ્પદ મોત થયા છે. ડોળાશામાં ૪ કુંજ પક્ષીના શંકાસ્પદ મોત થયા છે. ચિખલીમાં ખેડૂતોના ફાર્મમાં ૧૫૦ મરઘાના મોત થયા છે. ફાર્મમાં રોજ ૮ થી ૧૦ મરઘાના મોત થી રહ્યાનું પણ સામે આવ્યું છે. ખેડૂતો દ્વારા વનવિભાગને જાણ કરાઈ છે. ડાંગમાં પણ ૧૦ થી વધુ કાગડાઓના મોત થયા છે. શંકાસ્પદ મોતને પગલે તંત્ર એલર્ટ મોડ માં આવી ગયું છે. વઘઈમાં કાગડાના શંકાસ્પદ મોતથી ભયનો માહોમ જાેવા મળી રહ્યો છે.