ગાંધીનગર-
રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષા માટે પાસાના કડક કાયદા બનાવવા અને તે માટે પાસાના કાયદામાં સુધારો કરવાની વાત પર ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાેર આપ્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે, ૧૫ વર્ષથી ગુજરાતને કરફ્યુ મુક્ત કરવામાં સફળતા મળી છે અને હજુ વધુને વધુ કડક કાયદાની અમલવારી થઈ રહી છે.
પ્રદિપ સિંહે પાસાના ગુના હેઠળ વ્યાજખોર, સોશિયલ મીડિયા પર મહિલાઓનો ફોટો મૂકતા લોકો, દુષ્કર્મી લોકો વિરૂદ્ધ કડક કાયદાની હિમાયત કરી છે. કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરી ગુનેગારોને છાવરવાના પ્રયાસ કરે છે તેવા આક્ષેપ કર્યા છે. પ્રદિપસિંહે કહ્ય્šં કે, જમાલપુરમાં ચાલતા દારૂના અડા બંધ છે.
ગુજરાતમાં કાયદો જળવાય તે માટે સરકાર કડક વલણ અખત્યાર કરી રહી છે. તેઓએ ગૌ વંશનો કાયદો, ધાક ,ધમકી કરનારા સામે કડક કાયદો, એકાઉન્ટમાંથી રૂપિયા પડાવી લેતા વિરૂદ્ધ કડક કાયદો બનાવી તેની અમલવારી કરાવી રહી છે તેમ જણાવ્યું. પ્રદિપસિંહે કહ્યું કે ગુજરાતના વિકાસ માટે કાયદા કડક હોવા વધારે જરૂરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments