મોગલ સલ્તનતની સામે સહ્યાદ્રીના પહાડ સમી છાતી કાઢીને ઊભેલા ‘સ્વરાજ્ય’ સ્વપ્નના દૃષ્ટા શિવાજી મહારાજની જન્મજયંતી નિમિતે વડોદરા ખાતે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. જેમાં પ્રખર રાષ્ટ્રભકત અને પેઢીઓથી લાખો લોકોના પ્રેરણાસ્ત્રોત બની રહેલા ‘શિવાજી મહારાજ’માં અપાર શ્રદ્ધા અને આદર ધરાવતા હજારો લોકો ઉમટી પડયા હતા. તસવીર કેયુર ભાટીયા