તમિલનાડુના કુન્નનુર ખાતે ગત તા. ૮ ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટરમાં દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવત , તેમના ઘર્મપત્ની અને અન્ય જવાનો મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે તેમનું હેલીકોપ્ટર ક્રેસ થવાથી સીડીએસ બિપીન રાવત ,તેમના ધર્મપત્ની અને અન્ય અગિયાર જવાનો હેલિકોપ્ટર દુર્ધટનામાં શહિદ થયા હતા. દેશ માટે અનેક સાહસિક કાર્યો કરવા બદલ તેમજ તેમજ તેમનું જીવન દેશ સેવા માટે ન્યોછાવર કરનારા વિર જવાનોને વિવિધ રાજકીય પક્ષો તેમજ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા શહેરના વિવિધ સ્થળોએ શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. શહેરના ભાજપ યુવા મોરચા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે , કોગ્રેંસ પક્ષ દ્વારા ભગત સિંહની પ્રતિમા પાસે , ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા રાજમહેલ રોડ ખાતે જ્યારે મરાઠા મહા સંઘ દ્વારા દર્શનમ એવેન્યુ , સયાજીગંજ ખાતે પુષ્પો અર્પણ કરીને મીણબતી પ્રગટાવવામાં આવી હતી.