નર્મદા-

કેવડિયા એકતા નગરી ખાતે 31 ઓક્ટોબરના રોજ એકતા દીનની ઉજવણીને લઈને ઝગમગાટ કરવામાં આવ્યો છે. ત્યારે આ લાઇટિંગ ફિક્સ કરી દેવામાં આવી છે. પ્રસીઓને કાયમી જોવા મળે એવી વ્યસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં 35થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઈટોનો શણગાર કરી સ્ટેચ્યુ રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યું છે.

નર્મદા નિગમ દ્વારા વિદેશમાં જેમ લાઇટિંગ વાળા ગાર્ડન હોય છે તેમ હવે કેવડિયામાં પણ ગ્લોવ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને ફરી એકવાર કેવડિયા નગરીને એક દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. હાલ મોટા મોટા પોલ લગાવીને તમામ વીજ પોલ પર પણ લાઇટિંગ કરવામાં આવી છે. જેમાં પણ ડિઝાઈનો પાડવામાં આવી છે. એટલુંજ નહિ સ્ટેચ્યૂ વિસ્તારમાં પ્રવેશતા જ દુબઇની જેમ કોકોનટ લાઇટિંગ લેસર લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. જેને કાયમી બેઝ બનાવી આ લાયટીંગ કરવામાં આવ્યુ છે. 

જોકે, હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. 31 ઓક્ટોમ્બર ના રોજ પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા દિવસની ઉજવણી કરવા આવવાના છે. તે દિવસે પીએમ દ્વારા આ એકતા નગરી ગ્લો ગાર્ડનને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. બાદ પ્રવાસીઓનું આ એક ખાસ આકર્ષણ રહશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારને 1 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે અને 2 નવેમ્બરે સોમવાર હોવાથી 3 નવેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.