અંક્લેશ્વર : અંકલેશ્વર શહેરનાં સ્લેમ વિસ્તાર ગણાતા ચોર્યાસી ભાગોળ પિતા-પુત્ર એ વિઘ્નહર્તા દેવ પ્રત્યેની અનોખી ભક્તિ નાં દર્શન કરાવ્યા છે , અને ન્યુઝ પેપર નાં કાગળ માંથી ભગવાન ગણેશની બે ફૂટની પ્રતિમા બનાવીને સ્થાપના કરી છે.વર્તમાન મહામારી નાં કપરા સમયમાં પ્રભુ ભક્તિ પણ સરકારી ધારાધોરણો ને અનુસાર કરવામાં આવી રહી છે , અને ગણેશોત્સવ કે જેની ઉજવણી ધામધૂમ થી સાવર્જનિક કરવામાં આવતી હતી તે પણ એક મર્યાદામાં મુકાઈ ગઈ છે , ત્યારે અંકલેશ્વર નાં ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા રત્ના વસાવા અને તેમના પુત્રએ સરકારના પરિપત્ર મુજબ ગણેશોત્સવની ઉજવણી સાર્વજનિક રીતે ન કરીને પોતાની રીતે ગણપતિની પ્રતિમાનું નિર્માણ કર્યું છે. આ ગણપતિની પ્રતિમાને વિશેષતા એ છે કે પિતા-પુત્રએ મળીને ફક્ત ૬ કિલો વર્તમાનપત્ર પેપર અને ફેવિકોલ ની મદદ થી ત્રણ દિવસ માં ગણેશજીની પ્રતિમાને આકાર આપી સ્થપના કરી હાલ તેઓ પૂજા કરી રહ્યા છે.આ પિતા-પુત્રનો પ્રયત્ન અને એની સફળતા અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી બની રહે છે.આ અંગે રત્નાભાઇ વસાવાએ જણાવ્યુ હતુ કે ગણેશજીને વિઘ્નહર્તા દેવ છે અને અમારી દર વર્ષની પરંપરા મુજબ આ વખતે તો ઘરે જ પેપર ની પ્રતિમાનું નિર્માણ અમે કર્યું છે. અમારી પ્રાર્થના એ જ છે કે વિઘ્નહર્તા દેવ સમગ્ર વિશ્વ માંથી કોરોના મહામારી નું વિઘ્ન દૂર થાય અને લોકો તંદુરસ્ત અને નિરોગી જીવન જીવે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments