અરવલ્લી : સમગ્ર રાજ્યમાં આંગણવાડી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યા માટે ૩૩ વર્ષથી નીચેની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ બંને જાહેરાતમાં અનામતના અરજદારો માટે પણ વયમર્યાદા છૂટછાટ હટાવી દેવામાં આવતા અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ માટે તમામ વર્ગના અરજદારોએ કાયદાકીય જોગવાઈ અનુસાર ભરતી કરવામાં આવેની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારી ડો.અનિલ ધામેલીયાને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી.ભરતી પ્રક્રિયામાં રહેલી ત્રુટીઓ દૂર કરવા લેખીત રજુઆત કરવામાં આવી હતી ફોર્મ રિજેક્ટ થયેલા ઉમેદવારોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરતા મંગળવારે રિજેક્ટ થયેલા ઉમેદવારોને સાંભળવા બોલાવ્યા હતા. જ્યાં અધિકારીઓ તેમની મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે અરજદારોએ હોબાળો મચાવતા છેવટે અધિકારીઓએ તેમની ચેમ્બર છોડી જવા મજબૂર બન્યા હતા. નાયબ ડીડીઓની ચેમ્બર બહાર મહિલાઓ અને કાૅંગ્રેસના આગેવાનોએ રામધૂન યોજી ન્યાયની માંગ કરી હતી.ઉમેદવારોનો આક્ષેપ છે કે, આંગણવાડી ભરતીમાં ફૉર્મ ભરનાર મહિલાઓના રીજેક્ટ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય કારણો સ્ટેમ્પમાં વિસંગતતા, પ્રમાણપત્રો અપલોડ કરવાના સહિતના કારણો રજૂ કરાયા હતા. . ઑનલાઇન અરજી કરનાર તમામ ઉમેદવારોનેે જિલ્લા પંચાયતના અધિકારીઓએ ઉમેદવારોની ભૂલ હોવા અંગે કોરા કાગળ પર સહીઓ કરાવી લીધીના આક્ષેપ કરાયા હતા.