દિલ્હી-

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ કોરોનાના 35,499 નવા કેસ નોંધાયા હતા અને 447 લોકોના કોરોનાને કારણે મૃત્ય થયા હતા. નવા કેસ આવ્યા પછી ભારતમાં કોવિડ -19 કેસોની સંખ્યા 3,19,69,954, મૃત્યુઆંક 4,28,309 પર પહોંચ્યો છે. સોમવારે. ભારતમાં સક્રિય COVID-19 કેસોની સંખ્યા ઘટીને 4,02,188 થઈ ગઈ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 8 ઓગસ્ટ સુધી કુલ 48,17,67,232 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે, આમાંથી રવિવારે 13,71,871 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 35,499 નવા કેસ અને 447 મૃત્યુ નોંધાયા છે.