દિલ્હી-

દેશમાં કોરોના સંકટ ચાલી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 38,948 નવા કોરોના કેસ આવ્યા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 219 કોરોના સંક્રમિતોનાં મોત નીપજ્યાં છે. કોરોનામાંથી 43,903 લોકો સાજા થયા છે. આ પહેલા દેશમાં સતત પાંચ દિવસ સુધી 40 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. મંગળવારે 41,965, બુધવારે 47,092, ગુરુવારે 45,352, શુક્રવારે 42,618, શનિવારે 42,766 કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 30 લાખ 27 હજાર લોકોન સંક્રમિત થયા છે. આમાંથી 4 લાખ 40 હજાર 752 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે, અત્યાર સુધીમાં 3 કરોડ 21 લાખ 81 હજાર લોકો સ્વસ્થ પણ થયા છે. કુલ 4 લાખ 4 હજાર 874 લોકો હજુ પણ કોરોના વાઇરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.