ગાંધીનગર

રાજ્યમાં દર વર્ષે લોકો હોળી પર્વની ઉજવણી માટે લોકો બે દિવસ અગાઉ જ પોતાના વતનમાં જતા હોય છે. જાે કે આ વખતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે કેટલાક પ્રતિબંધો મુક્યાં છે. આ પર્વની ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી નિગમે હોળી પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને સુરત ડિવિઝનમાં વધારાની બસો દોડાવાનો ર્નિણય લીધો છે. જેમાં ૨૫,૨૬ અને ૨૭ તારીખે અમદાવાદથી રોજ ૧૦૦ બસ અને સુરત માંથી ૨૦૦ વધારાની બસ દોડવામાં આવશે.

લોકોની ભીડ એકઠી ના થાય તે માટે અને લોકો પર્વમાં તેમના વતન જઇ શકે તે માટે આ બસો વધારવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે પણ બંને ડિવિઝનના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. બીજી તરફ મહારાષ્ટ્ર માંથી લોકો દર વર્ષે હોળીના તહેવારમાં ગુજરાતમાં આવતા હોય છે પરંતુ અત્યારે મહારાષ્ટ્રમાં કોરોના ના કેસ વધવાના કારણે કેટલાક વિસ્તારમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. છતાંય તેઓ ગુજરાત આવી શકે તે માટે બસ ની સેવા ચાલુ રાખવામાં આવી છે.

મહારાષ્ટ્રથી આવનાર તમામ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. જેમાં ર્નિજર, ઉછલ અને સોનગઢ આ ત્રણ જગ્યાએ મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.જાેકે મહારાષ્ટ્રથી આવતા લોકોની સખ્યાં ઓછી હોવાથી કેટલીક ટ્રીપ રદ કરી છે.