દિલ્હી-

ભારતીય હવાઈદળ માટે અત્યંત મહત્વના પુરવાર થનાર રાફેલ વિમાનની બીજી બેચ ઓકટોબર માસમાં જ ભારતને મળી જશે. બીજી બેચમાં વધુ ચાર રાફેલ વિમાન ભારતને મળશે અને તે પંખાલા વિમાની મથક પર જ ઉતરશે.

હાલ પાંચ રાફેલ વિમાન ભારતીય હવાઈ દળને મળ્યા છે જેને હવે તા.10 સપ્ટેમ્બરના રોજ હવાઈદળમાં સામેલ કરવામાં આવશે. જેમાં ફ્રાન્સના સંરક્ષણ મંત્રીને પણ આમંત્રણ અપાયું છે. જો કે અગાઉ વડાપ્રધાન હાજર રહેવાના હતા પણ કાર્યક્રમમાં ફેરફાર થયો છે. ભારતે કુલ 36 રાફેલ વિમાન ખરીદ્યા છે.