ન્યૂ દિલ્હી-

ઈન્ડિયન બોક્સિંગ ફેડરેશન (બીએફઆઇ) ના કાર્યકારી ડિરેક્ટર આર કે સાચેતીનું મંગળવારે કોવિડ-૧૯ સાથે લડત બાદ મોત નીપજ્યું. તે ૫૬ વર્ષના હતા. કુશળ રમત પ્રબંધક થોડા સમય માટે દિલ્હીની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. બીએફઆઈએ એક નિવેદનમાં કહ્યું ખૂબ જ દુખની સાથે અમે તમને જણાવી રહ્યાં છીએ કે આર.કે. સાચેતી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (બીએફઆઇ) એ આજે સવારે અમને બધા છોડીને અનંત મુસાફરી પર પ્રયાણ કરી. ઓલિમ્પિક એસોસિએશન ઓફ ઈન્ડિયા (આઇઓએ) એ પણ સચેતીના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

આઇઓએના સેક્રેટરી જનરલ રાજીવ મહેતાએ એક નિવેદનમાં કહ્યું છે કે આઇઓએના જોઈન્ટ સેક્રેટરી, બીએફઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને પ્રિય મિત્ર રાજકુમાર સાચેતીનાં નિધનનાં સમાચારથી મને ખૂબ દુખ થયું છે. ભારતીય એથ્લેટીક્સ ફેડરેશન દ્વારા પણ રમત ગમત સંચાલકના નિધન પર શોક વ્યક્ત કરાયો હતો.