દિલ્હી-
અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ હવે ભારત સરકારે ત્યાં શરુ કરેલા હજારો કરોડો રુપિયાના પ્રોજેક્ટ પર જાેખમ સર્જાયુ છે.ચીન અને પાકિસ્તાન તો તાલિબાન સરકારને માન્યતા આપી ચુકયા છે ત્યારે ભારત શું વલણ અપનાવશે તેના સવાલના જવાબમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ હતુ કે, અફગાન લોકો સાથે ભારતના સબંધો ઐતિહાસિક છે અને તે ચાલુ જ છે.અત્યારે શરુઆતના દિવસો છે અને અમારુ ધ્યાન તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા પર છે.અમે કાબુલમાં બદલાઈ રહેલી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.તાલિબાન અને તેના પ્રતિનિધિઓ કાબુલમાં છે ત્યારે તેમની સાથે વાત કરવી પડશે. જાેકે ભારત , અમેરિકા અ્ને ચીન સહિતના ૧૨ દેશો પહેલા જ જાહેર કરી ચુક્યા છે કે, અફઘાનિસ્તાનમાં બળપૂવર્ક સત્તા મેળવવા માંગતી સરકારને માન્યતા આપવામાં નહીં આવે.આ પહેલા પણ ભારતે તાલિબાનની મુલ્લા ઉમરના નેતૃત્વવાળી સરકારને માન્યતા આપવામાં આવી નથી.જાેકે આ વખતે જાણકારોનો એક વર્ગ એવુ માની રહ્યો છે કે, ભારત પોતાના આ પ્રકારના વલણ પર ફરી વિચારણા કરી શકે છે.દુનિયાના ઘણા દેશોને એ વાતનો ડર લાગી રહ્યો છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનના કારણે આ દેશ ફરી આતંકી સંગઠનોનો અડ્ડો બની જશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments