મુન્નાર-

કેરળના મુન્નારમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. ટાટા ગ્લોબલ બેવરેજીસ (ટીજીબી) ની પેટાકંપની કન્નન દિવાન હિલ્સ પ્લાન્ટેશન કંપની પ્રાઈવેટ લિમિટેડ (કેડીએચપી) ના 75 થી વધુ ચાના બગીચાના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો આજે સવારથી ગુમ છે. તેમની શોધ માટે બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

ભારે વરસાદ અને પૂરને કારણે કેરળના ઇડુક્કી જિલ્લામાં ભૂસ્ખલનમાં 5 લોકોનાં મોત થયાની નોંધાઈ છે. આ ભૂસ્ખલન જિલ્લાના રાજમલા વિસ્તારમાં થયો છે. અગાઉ અધિકારીઓએ કહ્યું હતું કે સ્થળ પર પહોંચવું મુશ્કેલ છે. વન અધિકારીઓ અને અન્ય કટોકટી સેવાના કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા છે. અધિકારીઓએ કહ્યું છે કે આ વિસ્તારમાં 70 થી 80 લોકો રહે છે. છેલ્લા અપડેટ મુજબ, આ ઘટનામાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે.