દિલ્હી-

ગૃહયુદ્ધથી ઝઝૂમી રહેલા નાઇજીરિયાના કેટસીના રાજ્યમાં એક માધ્યમિક શાળા પર બંદૂકધારીઓના હુમલા બાદ ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ ગુમ થઇ ગયા છે. પરિવારવાળાઓને આશંકા છે કે તેમના બાળકોનું અપહરણ કરી લેવાયું છે. પોતાના જીગરના ટુકડા ગુમ થતાં વાલીઓના રડી-રડીને હાલ ખરાબ થઇ ગયા છે અને તેઓ હવે માસૂમોની ભાળ મેળવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.

કેટસીના પોલીસના પ્રવકતા ગેમ્બો ઇસાએ એક નિવેદનમાં કહ્યું કે કંકારામાં સરકારી વિજ્ઞાન માધ્યમિક શાળા પર શુક્રવાર રાત્રે ડાકુઓના મોટા ગ્રૂપે એકે-47 રાઇફલોથી ગોળીબાર કર્યો હતો. ઇસાએ કહ્યું કે પોલીસ અને હુમલાખોરોની વચ્ચે ગોળીબાર ચાલતો રહ્યો, આથી વિદ્યાર્થીઓને સ્કૂલની દિવાલ કૂદીને સુરક્ષિત ભાગી નીકળવાની તક મળી ગઇ. તેમણે કહ્યું કે 400 વિદ્યાર્થીઓ ગુમ છે જ્યારે 200ની ભાળ મેળવી લેવાઇ છે.

કહેવાય છે કે સ્કૂલમાં 600થી વધુ વિદ્યાર્થી ભણે છે. આ બધાની વચ્ચે સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ એ નાઇજીરિયાના કસીના રાજ્યમાં એક માધ્યમિક સ્કૂલ પર હુમલો અને કમ સે કમ 400 વિદ્યાર્થીઓ ગુમ થયાની નિંદા કરી છે. ગુટેરેસના પ્રવકતા સ્ટીફન દુજારિકના હવાલે કહ્યું કે મહાસચિવે અપહરણ થયેલા બાળકોની તાત્કાલિક અને કોઇપણ શરત વગર છોડાવાની અને તાત્કાલિક તેમના પરિવારની પાસે સુરક્ષિત મોકલવાની વાત કહી છે.

ગુટેરેસ એ કહ્યું કે સ્કૂલો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓ પર હુમલો કરવો માનવાધિકારોનું ઘોર ઉલ્લંઘન છે. નિવેદનમાં તેમણે કહ્યું કે નાઇજીરિયા અધિકારીઓને ચેતવણી આપી છે કે તેઓ આ કૃત્ય માટે જવાબદાર લોકોને ન્યાયના દાયરામાં લાવે. મહાસચિવે આતંકવાદ, હિંસક ઉગ્રવાદ અને સંગઠિત ગુનાની વિરૂદ્ધ લડાઇમાં નાઇજીરિયાની સરકાર અને ત્યાંના લોકોને સંયુકત રાષ્ટ્રનું સમર્થન આપવાની પણ વાત કહી.