ડભોઇ : નર્મદા બંધના ઉપરવાસમાંથી એટલેકે ઓમકારેશ્વર ડેમમાંથી ૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. જે પાણી સવારે નર્મદા બંધના સરદાર સરોવર માં આવતા બંધની જળ સપાટી વધતા તંત્ર દ્વારા ૨૩ ગેટ ખોલવાની ફરજ પડી છે. ૩ મીટર થી ૨૩ ગેટ ખોલી જેમાંથી ૪ લાખ ક્યુસેક પાણી નદી માં છોડાય રહ્યું છે.
હાલ નર્મદા ડેમ ની જળ સપાટી ૧૩૧.૨૫ મીટર પર પહોંચી છે. ઉપરવાસમાં થી હજુ પાણી વિપુલ માત્રા માં આવી રહ્યું હોય નર્મદા નિગમે સાંજે ૫ વાગે નર્મદા ડેમના અન્ય ગેટ પણ ખોલી ૫ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાની જાહેરાત કરી છે જેના કારણે તંત્ર દ્વારા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદીકિનારા ના ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમ માંથી પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકાનાં ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પહેલીવાર અને સતત બીજા વર્ષે નર્મદા નદી બે કાંઠે થઇ છે. ઉપરવાસમાં વધુ વરસાદ થતાં નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ત્યારે ડભોઇ તાલુકાના નર્મદા નદીના કાંઠા કિનારા ના ગામો કરનાળી, જુના માંડવા, ચાંદોદ, નંદેરીયા, ભીમપુરા ગ્રામવાસીઓને સાવધ રહેવા તંત્ર ની સુચના અપાઇ છે.ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે તીર્થધામ ચાંદોદ ના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ના હાલ ૮૦ પગથીયા પાણી માં ગરકાવ થયાં છે પાણીની આવક ચાલુ હોવાથી નર્મદા નદીની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પાણી ની સારી આવક થી કાંઠા કિનારા ના લોકો માં આનંદની લહેર વ્યાપી છે.પ્રવાહને અનુલક્ષી ડભોઇ મામલતદાર જય પટેલે જરૂરી સમીક્ષા કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments