નવી દિલ્હી
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્ની ફાઈનલ તથા ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે જનારી ભારતીય ક્રિકેટ ટીમે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જોકે, ટીમ હવે યુકે જશે તેથી વેક્સીનનો બીજો ડોઝ તે યુકેના સ્વાસ્થ્ય વિભાગની દેખરેખમાં લેશે.
ભારતીય ટીમના અત્યંત નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય ખેલાડીઓ વેક્સીનનો બીજો ડોઝ યુકે સ્વાસ્થ્ય વિભાગની દેખરેખમાં લેશે. સૂત્રએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીનની મંજૂરી આપી ત્યારે ટીમના ખેલાડીઓએ પ્રથમ ડોઝ લીધો હતો. હવે ખેલાડીઓ નિયમ પ્રમાણે બીજા ડોઝ માટે એલિજિબલ થશે ત્યારે તેઓ યુકે હેલ્થ ડિપાર્ટમેન્ટની દેખરેખમાં બીજો ડોઝ લેશે.
વિરાટ કોહલીની ટીમ યુકે જવા રવાના થયા તે પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો છે. ટીમના ખેલાડીઓઆજે મુંબઈ ભેગા થશે અને ત્યાં તેમને ત્રણ વખત આરટી-પીસીઆર ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
મુંબઈમાં બે સપ્તાહનો ક્વોરેન્ટીન સમય પૂરો કર્યા બાદ ટીમ યુકેમાં બીજા 10 દિવસ માટે ક્વોરેન્ટીમાં રહેશે. ક્વોરેન્ટીન સમય પૂરો થયા બાદ ખેલાડીઓ સાઉથમ્પ્ટનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્ની ફાઈનલ માટે પ્રેક્ટિસ શરૂ કરશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments