દિલ્હી-

ભારતમાં ઘણીવાર આવું થાય છે. કેટલાક વ્યકિત પગપાળા અથવા સાયકલ પર રસ્તા પર જઈ રહ્યા હોય છે અને કેટલાક વાહન ચાલક તેને ટક્કર મારી અને ભાગી જાય છે આ અકસ્માતને હિટ એન્ડ રન અકસ્માત કેટેગરીમાં ગણવામાં આવે છે. દર વર્ષે હજારો લોકો આવા હિટ એન્ડ રન કિસ્સાઓમાં ગંભીર રીતે દ્યાયલ થાય છે. તો હજારો લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આવા કિસ્સામાં ગુનેગારને દ્યણીવાર પકડી શકાતા નથી. તેથી મૃતકોના પરિવારોને યોગ્ય મદદ પણ મળતી નથી. પણ હવે એવું નહીં થાય. કેન્દ્ર સરકારે આવા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને મોટી રકમ આપવાની દરખાસ્ત કરી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ' હિટ એન્ડ રન' માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારો માટે વળતરની રકમમાં આઠ ગણો વધારો કરવાનો ર્નિણય કર્યો છે. મંત્રાલયે પ્રસ્તાવ મૂકયો છે કે હવે આવા અકસ્માતોમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને રૂ.૨ લાખની સહાયતા મળે. જયારે અત્યાર સુધી આવા કિસ્સાઓમાં ૨૫,૦૦૦ રૂપિયાની સહાય આપવાની જાેગવાઈ છે. આ સાથે, હવે જેઓ આવા કિસ્સાઓમાં ગંભીર રીતે દ્યાયલ થયા છે તેઓ પણ વળતર તરીકે વધુ રકમ મેળવી શકશે. સરકારે પ્રસ્તાવ મૂકયો છે કે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ૫૦,૦૦૦ રુપિયાનું વળતર આપવામાં આવશે. અત્યાર સુધી આવા કિસ્સાઓમાં ૧૨૫૦૦ રૂપિયાનું વળતર આપવામાં આવતું હતું.

માર્ગ અકસ્માત માટે જવાબદાર વાહનની એકવાર ઓળખ થઈ જાય તો અકસ્માતમાં દ્યાયલ વ્યકિતને વીમા કંપની તરફથી વળતર મળે છે. પરંતુ હિટ એન્ડ રન કેસોમાં અકસ્માત કરનાર ફરાર થઈ જાય છે. આવા કેસોમાં પીડિતોને સહાય આપવા માટે વર્ષ ૧૯૮૯ માં વળતર યોજના દ્યડવામાં આવી હતી. આ પીડિતોને મોટર વાહન અકસ્માત ફંડમાંથી સહાય આપવામાં આવે છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૧૯ દરમિયાન દેશમાં ૪,૪૯,૦૦૨ માર્ગ અકસ્માતમાં ૧,૫૧,૧૧૩ લોકોના મોત થયા છે. તેમાંથી ૨૯,૩૫૪ લોકોએ હિટ એન્ડ રનમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. હિટ એન્ડ રન કેસમાં વર્ષ ૨૦૧૯ દરમિયાન ૬૭,૭૫૧ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જ રાજયસભામાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯ દરમિયાન માત્ર દિલ્હીમાં જ હિટ એન્ડ રન માર્ગ અકસ્માતમાં ૫૩૬ લોકો માર્યા ગયા હતા અને ૧,૬૫૫ ઘાયલ થયા હતા.