આણંદ : આણંદ-વિદ્યાનગર રોડ ઉપર પંચાલ હોલ સામેના રોડ ઉપરથી એક વૃદ્ધનો મૃતદેહ આજે મળી આવતાં સનસનાટી વ્યાપી ગઈ હતી. આણંદ ટાઉન પોલીસે મૃતદેહનો કબજાે લઈ તેની ઓળખ કરતાં મૃતક મોગરી ગામના હોવાનું જાણવા મળ્યું હતું. આણંદ પોલીસે જનરલ હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોએ વધુમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, આણંદ-વિદ્યાનગર રોડ ઉપર પંચાલ હોલ સામેના રોડ ઉપરથી આશરે ૬૦ વર્ષના અજાણ્યાં વૃદ્ધનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી આણંદ ટાઉન પોલીસને કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મૃતક વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે વધુમાં માહિતી આપી હતી કે, મૃતકની ઓળખ અંગે તપાસ કરતાં તેઓ મોગરી ગામના નરસિંહભાઈ મણીભાઈ વાળંદ (ઉ.૬૦) હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ પરિવારની સાથે રહેતાં ન હતાં. પોલીસે આ અંગે અપમૃત્યુની કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.