પાટણ-

પાટણના રાધનપુરના કલ્યાણપુરા નજીક કાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં કારની અડફેટે 3 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. કચ્છ તરફથી આવતી કારે ગંભીર અકસ્માત સર્જ્યો છે. કારચાલકે કાબુ ગુમાવતા ખેતર તરફ જતા ખેડૂતો પર કાર ફરી વળી હતી. જેના લીધે 3 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસથી સતત આવી અકસ્માતની ઘટનાઓ વધતી જઇ રહી છે. ત્યારે એક વાર ફરી અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં 3ના મોત નિપજ્યાં છે.

અકસ્માતની જાણ થતાં કલ્યાણપુરના લોકો અને પરિવારના સભ્યો હોસ્પિટલે દોડી આવ્યા હતા. પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. દિવાળીને દિવસે જ આ અકસ્માતે ત્રણ-ત્રણ પરિવારનો માળો વિખેરી નાંખ્યો છે અને બેની પત્નીઓ અને બાળકો નોંધારા બન્યા છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે ક્રેટા કારે અકસ્માત સર્જ્યો હતો. જેમાં ત્રણના મોત થયા છે. તેમજ અકસ્માત સર્જનાર અને તેની સાથેની વ્યક્તિ અકસ્માત પછી અન્ય વાહનમાં બેસીને ત્યાંથી ચાલ્યા ગયા છે. તેમની નંબરના આધારે શોધખોળ હાથ ધરવામાં આવી છે.