મુંબઈ 

અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મ મેકર અનુરાગ કશ્યપની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો ર્નિણય કર્યો છે. પાયલ ઘોષના વકીલ નિતિન સતપુતેએ કહ્ય્šં છે કે ૨૧ સપ્ટેમ્બર એટલે કે સોમવારે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપની વિરૂદ્ધ ફરિયાદ કરશે. નિતિન સતપુતેએ કહ્ય્šં કે અમે લોકોએ આજે કાગળની કાર્યવાહી કરી રહ્યા છીએ. પાયલે ર્નિણય કર્યો છે કે તે અનુરાગની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરાવશે.

નિતિન સતપુતેએ કહ્ય્šં કે પાયલ ઘોષની સાથે વર્ષ ૨૦૧૪માં છેડછાડ કરવામાં આવી અને અનુરાગ કશ્યપે ઘરે તેની સાથે ખરાબ વર્તન કર્યું. અભિનેત્રીએ પહેલા ફરિયાદ દાખલ કરવાની કોશિશ કરી હતી પરંતુ તેને ધમકી આપવામાં આવી છે. તેના પર દબાણ કરવામાં આવ્યું હતું કે જાે તે ફરિયાદ દાખલ કરશે તો તેનો બહિષ્કાર કરવામાં આવશે. પાયલ ઘોષે શનિવારે અનુરાગ કશ્યપની વિરૂદ્ધ જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે અનુરાગ કશ્યપે કહ્ય્šં કે આ બધુ તેની બોલતી બંધ કરવા માટે કરવામાં આવી રહ્ય્šં છે.

તેણે કહ્ય્šં કે હું માત્ર એટલુ કહીશ કે જે પણ આરોપ છે બધા જ પાયા વિહોણા છે. જણાવી દઈએ કે અનુરાગ કશ્યપનો કેટલાક સ્ટાર્સે સમર્થન કર્યુ હતું. તો કંગનાએ પાયલ ઘોષનો સપોર્ટ કર્યો હતો. કંગના રનૌતે અનુરાગ કશ્યપની ધરપકડની માંગ કરી છે. જેના પર પાયલ ઘોષે ટિ્‌વટ કરતા લખ્યું કે તમારા સપોર્ટ માટે આભાર કંગના રનૌત. આ સમયે તમારો સપોર્ટ મારા માટે ખુબ જ મહત્વનો છે. આપણી સ્ત્રીઓ છીએ અને આપણે સાથે મળીને દરેકને લાવી શકીએ છીએ.