પંચમહાલ-

સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે, ત્યારે પંચમહાલમાં પણ મેઘરાજાએ માજા મુકી છે. પાવાગઢ નજીક આવેલા ખુણીયા મહાદેવના ધોધ પર પાણીનો પ્રવાહ એકાએક જ વધી જતાં 50થી વધુ લોકો ફસાયા હતા. જેમને ભારે જહેમત બાદ પાવાગઢ પોલીસે સલામત રીતે બહાર કઢ્યાં હતાં.

ચોમાસામાં પંચમહાલ જિલ્લાના પાવાગઢ, જાંબુઘોડા તેમજ ઘોઘમ્બાના જંગલ વિસ્તાર અને ડુંગર વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય છે. જેની મજા માણવા આજુબાજુ અને દૂર દૂરથી લોકો આવતા હોય છે. જેમાં ડુંગર વિસ્તારમાં આવેલા ધોધની મજા માણવા લોકો આવે છે.જોકે વરસાદી મૌસમમાં આ જગ્યા પર સહેલાણીઓને વરસાદની મજા માણવાની ભારે પડી હતી.

સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે, ત્યારે પંચમહાલમાં પણ મેઘરાજાએ માજા મુકી છે. પાવાગઢ નજીક આવેલા ખુણીયા મહાદેવના ધોધ પર પાણીનો પ્રવાહ એકાએક જ વધી જતાં 50થી વધુ લોકો ફસાયા હતા. જેમને ભારે જહેમત બાદ પાવાગઢ પોલીસે સલામત રીતે બહાર કાઢ્યાં હતાં.