નવી દિલ્હી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત લથડતા તેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને દિલ્હી ખાતેની આર્મી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અને હાલ તેઓ ડોક્ટર્સના મોનિટરિંગ અંતર્ગત છે. આર્મી હોસ્પિટલે રાષ્ટ્રપતિની તબિયત સ્થિર હોવાની માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આજે સવાર અચાનક તબિયત બગડી હતી.
છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ તેમને દિલ્હીમાં આવેલ સેનાની આર્મી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. અહીં ડોક્ટરો તેમનું રૂટીન ચેકઅપ કરી રહ્યા છે. હોસ્પિટલનું કહેવું છે કે હાલમાં કોઈ ચિંતાની વાત નથી. રાષ્ટ્રપતિની તબિયત સ્થિર છે. હોસ્પિટલે એક મેડિકલ બુલેટિનમાં કહ્યું કે, ભારતના રાષ્ટ્રપતિ આજે સવારે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ આર્મી હોસ્પિટલ આવ્યા હતા. તેમનું રૂટીન ચેકઅપ કરવામાં આવી રહ્યું છે અને તેઓ નિરીક્ષણ હેઠળ છે. તેમની હાલત સ્થિર છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments