દિલ્હી-

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે આજે વહેલી સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ તેમની દફનવિધિ અંગે મહત્વની જાણકારી સામે આવી છે. તેમના અવસાન બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. જેના કારણે હવે તેમની અંતિમવિધિ કોરોનાના પ્રોટોકોલ અનુસાર દિલ્હીમાં જ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમને તેમના માતાપિતાની કબર પાસે જ દફનાવવામાં આવે પરંતુ હવે કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાથી તેમના મૃતદેહને તેમના પૈતૃક ગામમાં લઈ જવામાં આવશે નહીં અને દિલ્હીમાં જ ગાઈડલાઈન અનુસાર તેમની દફનવિધિ કરવામાં આવશે,