મુંબઇ

બોલીવુડની કન્ટ્રોવર્સી ક્વીન કંગના રાનાઉત દરેક મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપે છે. ઘણી વાર તે કંઇપણ બોલે છે જે પછી તે ટ્રોલ પણ થઈ જાય છે. હવે ફરી એકવાર કંગના તેની એક ટ્વીટને લઈને હેડલાઇન્સમાં આવી છે. ભારતની વધતી વસ્તી અંગે તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે.

કંગના કહે છે કે વધતી વસ્તીને કારણે લોકો દેશમાં મરી રહ્યા છે. અભિનેત્રીએ ટ્વીટ કર્યું હતું કે, દેશમાં વધતી વસ્તીને કારણે લોકો મરી રહ્યા છે. ત્રીજી સંતાન હોવાને કારણે તેને દંડ થવો જોઈએ અને જેલની સજા આપવી જોઈએ.

કંગનાએ લખ્યું કે, "આ વાત સાચી છે કે ઈન્દિરા ગાંધી ચૂંટણી હારી ગઈ હતી અને પાછળથી મારી નાખવામાં આવી હતી કારણ કે તે આ મુદ્દે કાર્યવાહી કરવા માંગતી હતી."

કંગનાના આ ટ્વીટ્સ સોશિયલ મીડિયા પર ઘણી બધી હેડલાઇન્સમાં આવ્યા છે. અભિનેત્રીના આ ટ્વીટ પર લોકોની મિક્સ રિએક્શન આવી રહી છે. કેટલાક તેમની વાતને ટેકો આપી રહ્યા છે તો કેટલાક તેમને ટ્રોલ કરી રહ્યાં છે.