જયપુર-

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની તબિયત બગડી ગઈ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી. સીએમ ગહલોત હોસ્પિટલમાં દાખલ થયા મુખ્યમંત્રી ગહલોતએ ટ્વીટ કર્યુ, "પોસ્ટ કોવિડ ઈફેક્ટના કારણે ગઈકાલથી મારી તબિયત ખરાબ છે. મારી છાતીમાં અસહ્ય દુ:ખાવો થઈ રહ્યો છે. SMS હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહ્યો છે. જ્યાં મારી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે. મને ખુશી છે કે, મારી સારવાર અહીં થઈ રહી છે. આપ સૌના આશિર્વાદ મારી સાથે છે. જલદી જ સ્વસ્થ થઈને પરત ફરીશ."