રાજકોટ-

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ધર્મપત્ની સાથે આવતીકાલથી 28 તારીખ સુધી દિવના પ્રવાસે છે. આવતીકાલે રાજકોટ થઈને દિવ જવાના છે. રાજકોટમાં 10 મિનિટ જેટલું ટૂંકુ રોકાણ રાષ્ટ્રપતિ કરવાનામાં છે. જેના માટે રાજકોટ એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આજે પણ પોલીસ તંત્ર દ્વારા રાષ્ટ્રપતિના આગમનને લઈને રિહર્સલ કરવામાં આવ્યું હતું.રાજકોટમાં રાષ્ટ્રપતિ સાથે અંદાજીત 50 લોકોથી વધુનો કાફલો પણ આવનાર છે. ત્યારે રાજકોટમાં તેઓ 10 મિનિટ જેટલું ટૂંકું રોકાણ રાજકોટમાં કરવાના છે.રાજકોટમાં રાષ્ટ્રપતિના આગમનને લઇને હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.તેમજ રાજકોટ આખાને કિલ્લેબંધી કરવામાં આવી છે

કોરોનાની મહામારી વચ્ચે દેશના મહામહિમ રાજકોટ ખાતે આવનાર છે. જેને લઈને તેમના બંદોબસ્ત તેમજ અન્ય કામગીરીમાં જોડાનાર તમામ કર્મચારીઓના RTPCR ટેસ્ટ પણ આરોગ્યતંત્ર દ્વારા કરી લેવામાં આવ્યા છે. તેમજ કોઈપણ ઇમરજન્સી માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ 12 વાગ્યાની આસપાસ આવતીકાલે રાજકોટ એરપોર્ટ ખાતે ઉતરશે. તેમજ અહીં ટૂંકુ રોકાણ કર્યા બાદ હેલિકોપ્ટરથી દીવ જવા રવાના થશે. દીવમાં 28 તારીખ સુધી તેઓ અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપશે.