રાજકોટ-

રાજ્યમાં કોરોના વાઇરસની મહામારી ફેલાઈ છે, ત્યારે રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રયાસ કરી રહી છે. રાજકોટ શહેરની PDU હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે સમયસર સવારે નાસ્તો તેમજ ત્યાર બાદ લીંબુ પાણી, ફ્રુટ અને બપોરે ભોજન ઉપરાંત સાંજે ચા બિસ્કીટ તેમજ રાત્રે ભોજન અને દૂધ આપવામાં આવે છે.

આ કામગીરી માટે એક ટીમ મોનીટરીંગ કરે છે. CCTV કેમેરા દ્વારા પણ દરેક દર્દીને આ સેવા મળે છે કે કેમ તેનુ ધ્યાન રાખવામાં આવે છે. રાજકોટ PDU હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા દર્દીઓએ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને હોસ્પિટલના તંત્ર દ્વારા કરવામાં આવતી ભોજનની સારીમાં સારી વ્યવસ્થા અંગે આભારની લાગણી વ્યક્ત કરી છે.

રાજકોટ શહેરની પંડિત દીન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દર્દીઓને સમયસર ભોજન મળે તે માટે ટીમ મેનેજમેન્ટથી કામગીરી થઇ રહી છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કોરોનાના દર્દીઓને શુદ્ધ સાત્વિક ભોજન મળે તેમજ રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે હળદરવાળું દૂધ અને લીંબુ પાણી, ફ્રુટ સહિતની સુવિધા આપવામાં આવે છે.