રાજકોટ-
રાજ્યમાં કોરોના વાઇરસની મહામારી ફેલાઈ છે, ત્યારે રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રયાસ કરી રહી છે. રાજકોટ શહેરની PDU હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે સમયસર સવારે નાસ્તો તેમજ ત્યાર બાદ લીંબુ પાણી, ફ્રુટ અને બપોરે ભોજન ઉપરાંત સાંજે ચા બિસ્કીટ તેમજ રાત્રે ભોજન અને દૂધ આપવામાં આવે છે.
આ કામગીરી માટે એક ટીમ મોનીટરીંગ કરે છે. CCTV કેમેરા દ્વારા પણ દરેક દર્દીને આ સેવા મળે છે કે કેમ તેનુ ધ્યાન રાખવામાં આવે છે. રાજકોટ PDU હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા દર્દીઓએ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને હોસ્પિટલના તંત્ર દ્વારા કરવામાં આવતી ભોજનની સારીમાં સારી વ્યવસ્થા અંગે આભારની લાગણી વ્યક્ત કરી છે.
રાજકોટ શહેરની પંડિત દીન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દર્દીઓને સમયસર ભોજન મળે તે માટે ટીમ મેનેજમેન્ટથી કામગીરી થઇ રહી છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કોરોનાના દર્દીઓને શુદ્ધ સાત્વિક ભોજન મળે તેમજ રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે હળદરવાળું દૂધ અને લીંબુ પાણી, ફ્રુટ સહિતની સુવિધા આપવામાં આવે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments