ફિલ્મ મેકર અનીસ બઝમીનું કહેવું છે કે ભૂલભૂલૈયા-2નું શૂટીંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે. તેઓ ઉત્તરપ્રદેશ સરકાર તરફથી મંજૂરી મળે એની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ 2007માં આવેલી ભૂલભૂલૈયાની સીકવલ છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર, વિદ્યા બાલન અને શાઇની આહુજા જોવા મળ્યા હતા. હવે એની સીકવલમાં કાર્તિક આર્યન અને કિઆરા અડવાણી જોવા મળશે.

આ ફિલ્મનું શૂટીંગ લખનઉમાં કરવામાં આવ્યું હતું. હજી થોડુઘણું શૂટીંગ બાકી છે. ફિલ્મના શૂટીંગ વિશે અનીસ બઝમીએ કહ્યું હતું કે ફિલ્મ પૂરી કરવા માટે અમારે લખનઉ જવાનું છે. અમે મોટો સેટ બનાવ્યો હતો અને આટલા મહિના બકાદ પણ એ સેટ હજી જળવાઇ રહ્યો છે. ફિલ્મની કન્ટિન્યુઇટીને જાળવી રાખવા માટે અમારે બાકીના ભાગનું શૂટીંગ ત્યાં કરવું પશે. સાથે જ કાસ્ટ અને ક્રૂની સલામતી પણ અગત્યની છે. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ જ અમે શૂટીંગ શરૂ કરીશું. આશા રાખીએ છીએ કે સપ્ટેમ્બરમાં ભૂલભૂલૈયા-2નું શૂટીંગ શરૂ કરીશું.