આણંદ : હાલમાં વિશ્વભરમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર ધરાવતાં જાહેર અને ખાનગી સ્થળોએ વાઇરસને ફેલાતો અટકાવવા ગત તા.૧૭ના રોજ આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી. ગોહિલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ આણંદ, ખંભાત, પેટલાદ અને ઉમરેઠનાં કેટલાંક વિસ્તારો કન્ટેન્મેઇન્ટ જાહેર કર્યાં છે. અહીં લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. 

આણંદ તાલુકામાં આણંદ નગરપાલિકાના હદ વિસ્તારમાં નાની ખોડિયારનું ૧ મકાન તથા બી-૫ પાલિકા નગરના એક મકાનનો વિસ્તાર, કરમસદ નગરપાલિકા હદમાં આવેલાં ઘંટીવાળા ફળીયાના ૬ મકાન, રાસનોલ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલાં જાદવ ફળીયાના કુલ ૮ મકાનનો વિસ્તાર, વાસદ ગ્રામપંચાયતની હદમાં આવેલાં વસુધા સોસાયટીના કુલ ૫૫ મકાનનો વિસ્તાર, વલાસણ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ૬ મકાનનો વિસ્તાર, વાસદ ગ્રામ પંચાયતની હદમાં આવેલ નવજીવન મિલનાં કુલ ૪ મકાન, ખંભાત તાલુકામાં ખંભાત નગરપાલિકા હદમાં આવેલાં મોટો ચુનાર વાડીનાં ૨૫ મકાનનો વિસ્તાર, લાંબી ઓટીના ૧૦ મકાનનો વિસ્તાર, સાજન ફળિયાના ૧૦ મકાન, કસબા ફળીયાના ૩૯ મકાનનો વિસ્તાર, નગરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલાં પ્રજાપતિ વાસનાં ૧૯ મકાન, પેટલાદ તાલુકામાં ઘુંટેલી ગ્રામ પંચાયત હદમાં આવેલાં સુભાષ પોળના ૨૪ મકાનનો વિસ્તાર, પંડોળી ગ્રામ પંચાયત હદમાં આવેલાં વચલી શેરીના ૬ મકાનનો વિસ્તાર, બાંધણી ગ્રામ પંચાયતના મહાદેવ ફળીયાના કુલ-૩ મકાન, મહેળાવ ગ્રામ પંચાયત હદમાં લાખાપુરાના ૩ મકાન, ઉમરેઠ તાલુકામાં શીલી ગ્રામ પંચાયતમાં બ્રાહ્મણ ખડકીના કુલ ૧૬ મકાનના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ તમામ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવાનું રહેશે. તેમજ આ વિસ્તારને આવરી લેતાં મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭ કલાકથી સાંજના ૭ કલાક સુધી જ ચાલંુ રાખી શકાશે. આ હુકમ તા.૧૭થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેર નામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ આઈપીસીની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત

કરવામાં આવે છે.

પેટલાદ, ખંભાત, બોરસદ, આંકલાવ અને સોજિત્રા તાલુકાના આ વિસ્તાર કન્ટેન્મેઇન્ટમાંથી મુક્ત થયાં

પેટલાદ નગરપાલિકા હદમાં આવેલ જેઝેડ એસ્ટેટના ૪૧ મકાન, જૂની ખડકીના ૩૪ મકાન, જીવા મહેતાનો પીપળો ૯ મકાનનો વિસ્તાર, ખંભાત નગરપાલિકા હદમાં દેવની પોળાના ૧૦ મકાન, વાઘમાસીની ખડકીના ૧૦ મકાન, નાગરવાડાના ૧૦ મકાન, નાના કલોદરા ગ્રામપંચાયત હદમાં આવેલાં શિમલા સોસાયટીના ૪ મકાનનો વિસ્તાર, વત્રા ગ્રામ પંચાયત હદમાં આવેલાં મહાદેવ ફળીયું ૬ મકાન, બોરસદ તાલુકાના રણોલી ગ્રામ પંતાયત હદમાં આવેલાં જલારામની સોસાયટી સામે ૩ મકાન, સૈજપુર ગ્રામ પંચાયત હદમાં પંચાલ ફળીયામાં વાળંદ ફળીયુંના ૩ મકાન, બોરસદ નગરપાલિકા હદમાં વોરા સોસાયટીના ૩ મકાનનો વિસ્તાર, આંકલાવ નગરપાલિકા હદમાં રમેશ ચંદ્ર ચંદુભાઈ શાહ, પોસ્ટ ઓફિસ વિસ્તાર, મુકામ પોસ્ટ આંકલાવના મકાનનો વિસ્તાર, નવાખલ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં હંસાબેન કનુભારથી ગોસાઈ, મોટા ફળીયા વિસ્તાર, નવાખલ, આંકલાવ મકાનનો વિસ્તાર, સોજિત્રા તાલુકાના ગાડા ગ્રામપંચાયત હદ વિસ્તારમાં પ્રજાપતિ નિવાસના ૧૧ મકાનનાં વિસ્તારમાં મળી આવેલાં કોરોના પોઝિટિવની સારવાર બાદ કોઇ નવાં કેસ મળી આવેલ નથી.