ડભોઇ, તા.૨૦
ડભોઇ નગર ના લાઠી બજાર વિસ્તાર માં છેલ્લા કેટલાય સમય થી વીજ વાયરો માં ખામી હોય અવાર નવાર આગ લાગવાના બનાવ બનતા આવ્યા છે મંગળવારે સવારે આવો જ બનાવ પુનઃ બનતા બજાર વિસ્તાર માં નાસ ભાગ મચી જવા પામી હતી. વીજ કંપની દ્વારા વાયરો બદલવાની માંગ ઉઠવા પામી છે.
ડભોઇના લાઠી બજાર વિસ્તાર માં સ્ટેટ બેક ઓફ ઈન્ડિયા ની મુખ્ય બ્રાન્ચ આવેલ છે. આ બેન્ક ની બાજુમાં આવેલ થાંભલા માથી પસાર થતાં વીજ વાયરો જૂના અને નીચી ગુણવત્તા ના વપરાયા હોવાનું લોકોમાં બોલાઈ રહ્યું છે જેને કારણે છેલ્લા ૩ માસમાં ૫ મી વખત વીજ વાયરોમાં અચાનક આગ લાગતાં અફરા તફરી નો માહોલ ઊભો થાય છે મંગળવારે સવારે એકા એક પટેલવાગા તરફ જતાં વીજ વાયર માં આગ ભભૂકી ઉઠતાં કલાકો સુધી વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો જ્યારે રહીશો દ્વારા વાયરો બદલી નાખવા માંગ ઉઠવા પામી છે. અવાર નવાર બનતી ઘટના ને કારણે કોઈ જાણહાની થાય તો તેની જવાબદારી કોની તેમ કહી આ વીજ વાયારો માં વીજ પુરવઠો પણ નિયમિત રીતે ઓછો વધતો થતો હોય છે જેને કારણે આ આગ લાગ્યા ના બનાવ બનતા હોય છે. કંપની દ્વારા તાકીદે પગલાં લઈ વીજ વાયરો બદલવામાં આવે તેવી લોક માંગ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments