અમદાવાદ-
રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલ ના મોટાભાઈ ગૌતમ પટેલે આજે અમદાવાદ ખાતેના પોતાના બંગલામાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
મળતી માહિતી મુજબ ગૌતમ પટેલે પોતાના શીલજ ખાતેના બંગલે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ ઘટના સમયે તેમનો પુત્ર અને પુત્રવધુ ઘરમાં હાજર હતા. જોકે પોલીસને કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી આ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.
મહેસુલ મંત્રી કૌશિક પટેલના ભાઈ ગૌતમ પટેલે કયા કારણોસર આપઘાત કર્યો છે, તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ગૌતમ પટેલના આપઘાતને લઈને પરિવારના સભ્યોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર ગૌતમ પટેલે બપોરે 12 વાગ્યા આસપાસ ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ગૌતમ પટેલે કયા કારણોસર આપઘાત કર્યો છે તે પોલીસની તપાસ પછી જ જાણવા મળશે. ગૌતમ પટેલ મહેસુલ મંત્રીના મોટા ભાઈ હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments