અમદાવાદ-

રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલ ના મોટાભાઈ ગૌતમ પટેલે આજે અમદાવાદ ખાતેના પોતાના બંગલામાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

મળતી માહિતી મુજબ ગૌતમ પટેલે પોતાના શીલજ ખાતેના બંગલે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ ઘટના સમયે તેમનો પુત્ર અને પુત્રવધુ ઘરમાં હાજર હતા. જોકે પોલીસને કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી આ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.

મહેસુલ મંત્રી કૌશિક પટેલના ભાઈ ગૌતમ પટેલે કયા કારણોસર આપઘાત કર્યો છે, તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ગૌતમ પટેલના આપઘાતને લઈને પરિવારના સભ્યોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર ગૌતમ પટેલે બપોરે 12 વાગ્યા આસપાસ ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ગૌતમ પટેલે કયા કારણોસર આપઘાત કર્યો છે તે પોલીસની તપાસ પછી જ જાણવા મળશે. ગૌતમ પટેલ મહેસુલ મંત્રીના મોટા ભાઈ હતા.