શિનોર,તા.૧

શિનોર તાલુકાના પુનિયાદ નજીક થી પસાર થતી સબમેઇન કેનાલ માં બે લાશ તરતી તણાઇ રહી હોવાની જાણ મિડિયા ને થતાં સ્થાનિક રાહદારીઓ ની મદદથી લાશ ને બહાર કાઢી પોલીસ ને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શિનોર ના પુનીયાદ નજીક થી સબમેઇન કેનાલ પસાર થાયછે જેમાં આજરોજ બપોરના સમયે બે મૃૃતદેહો કેનાલ ના પાણી માં વહી રહ્યા હોવાની જાણ મીડિયા ને થતાં સ્થળ પર પહોંચેલા મિડિયા કર્મિ એ સ્થાનિક રાહદારીઓ ની મદદથી પાણીમાં તણાઈ રહેલા મૃૃતદેહોને બહાર કઢાવી સાધલી પોલીસ ને જાણ કરતા સ્થળ પર આવી પહોંચેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ મરનાર યુવક - યુવતી શિનોર તાલુકાના આનંદી જુનાફળીયા માં રહેતો મેહુલ પ્રભાતભાઇ વસાવા તથા કાજલ વિજયભાઈ વસાવા હોવાનું જાણવા મળેલ છે.બે દિવસ પહેલા તેઓ ઘરે થી ગુમ થતાં સેગવા પોલીસ ને જાણ કરાઇ હતી. પ્રેમ સંબંધ માં બન્ને પ્રેમી પંખીડા એ કેનાલ માં ઝંપલાવી જીવન ટૂંકાવી કરુણ અંત આણ્યો હોવાની ચર્ચા છે બીજી તરફ પુનિયાદ આગળ થી કેનાલ માં તણાઇ આવેલા આ મૃૃતદેહો અંગે સેગવા પોલીસ સાચે જ અજાણ હતી કેમ તે ચર્ચા એ પણ જાેર પકડ્યું છે.