યુએઈ-
ભારતીય ક્રિકેટ બોર્ડની આગેવાની હેઠળ આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ આગામી મહિને યુએઈ અને ઓમાનમાં યોજાશે. આ મેગા ટુર્નામેન્ટની ચમકતી ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું છે. મ્ઝ્રઝ્રૈં ના સચિવ જય શાહે પોતાના ટિ્વટર હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે આગામી ટી ૨૦ વર્લ્ડ કપની ટ્રોફી લોન્ચ કરવામાં આવી છે. ટી-૨૦ વર્લ્ડ કપ ૧૭ ઓક્ટોબરથી શરૂ થશે અને સુપર ૧૨ મેચ ૨૩ ઓક્ટોબરથી રમાશે.
બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વીટ કરીને યુએઈ સરકારના મંત્રીઓ અને રમત અધિકારીઓ સાથે ફોટા અપલોડ કર્યા હતા. તેમણે લખ્યું કે શેખ નાહ્યાન મુબારક અલ નાહ્યાન, મિસ્ટર ખાલીદ અલ ઝરૂની અને આઈસીસી ના અધિકારીઓ સાથે મળીને દુબઈમાં ટી-૨૦ વર્લ્ડ કપ ટ્રોફી લોન્ચ કરી. આગામી ટી-૨૦ વર્લ્ડ કપમાં બીસીસીઆઈ માટે અમીરાત ક્રિકેટ ઘરથી દૂર ઘર જેવું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે તેના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પરથી જય શાહના આ ટિ્વટને રીટ્વીટ કર્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments