અમદાવાદ-
કોરોના મહામારી અને વરસાદને લીધે ખેડૂતોને જે નુકસાન થયું છે અને ઉપરાંત પાક વીમા યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો છે; તેમના રેકોર્ડ સાથે ચેડાં કરી પૂરતું વળતર ચૂકવાતું ન હોવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે.
આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવા આવશે. હાઇકોર્ટમાં ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, ખેડૂતોના ડેટા સાથે ચેડાં કરી પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી. હાઈકોર્ટ આ મુદ્દે નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી બેસાડે તેવી માંગ કરાઈ છે. પ્રધાન મંત્રી ફસલ બીમાં યોજના હેઠળ પણ યોગ્ય વળતર ચૂકવાય તેવી માંગ કરાઈ છે. આ મામલે આવતીકાલે શુક્રવારે હાઈકોર્ટ નિર્દેશ આપી શકે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments