ભાવનગર

ગઇ કાલે ગુજરાતમાં વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે ત્યારે એની અસર સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળી છે.આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.

ભાવનગર હવાઈ મથકે મુખ્યમંત્રી વિજય રૂપાણી. ભાવનગરના મેયર કિર્તિબાળા દાણીધારિયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ તેમને આવકાર્યા હતા.