પંચમહાલ-

પંચમહાલમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરને વધુ 10 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. સમગ્ર દેશમાં વધતા જતા કોરોનાના સંક્રમણ અને હાલની સ્થિતિને જોતા વધુ 10 દિવસ સુધી માતાજીના દર્શનથી ભક્તો વંચિત રહેશે. આગામી 8મી મે સુધી યાત્રાધામ બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે માતાજીના ઓનલાઈન દર્શન ભક્તો કરી શકશે.