છોટાઉદેપુર: સરકાર લક્ષિ લોક પ્રશ્નોને લઈ રાત્રી સભાઓ કરાઈ હતી. જે રાત્રી સભાના ફોટા સાથે થયેલ લોક પ્રશ્ન અને સ્થળ નિકાલ પ્રશ્નનો તાલુકા સ્તરેથી જિલ્લા સ્તરે રિપોર્ટ કરાય છે. પરંતુ તાલુકાના અધિકારી જેતે વિભાગને કાગળ લખી છૂટી જાય છે. પછી કોઈ જાેવા પણ જતું નથી કારણ કે આ સરકારમા અધિકારી ઓને કઈ પડી નથી. તેમ ગામે ગામ લોકો જણાવી રહ્યા છે. નાના મોટા પ્રશ્ન હલ થતા નથી. ત્યારે બગલીયા ગામ ૧૭૦૦ની વસ્તી ધરાવતું ગામ છે. જે ગામમા ૨૨ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ રાત્રી સભા તાલુકાના તંત્ર યોજી હતી. જે જગ્યાએ રાત્રી સભા હતી. તે શાળાનો મુખ્ય પીલર જરા તૂટેલી હાલતમાં છે. જેને રિપેરીંગ કરવા રજૂઆત કરાઈ હતી. પરંતુ ૧૦ માસ વીતી ગયા છતાંય રાત્રી સભાનો પ્રશ્ન હલ થયો જ નથી. કારણ કે આ સભાઓ ફક્ત અધિકારીઓ ભેગા થાય લોકોને સારું લાગે અને નાના પ્રશ્ન હલ થયાની વાત કરે ફોટો શેશન કરી રાત્રી સભા પૂર્ણ કરે તેમ ગ્રામજનોને લાગી રહ્યું છે.બગલીયા શાળા બે માંળની છે. નીચેનો પીલર ૩ ઈંચ ખસી ગયો છે. અને શાળા ગમે ત્યારે એકબાજુ તૂટે તેવું ગ્રામજનો હાલની પરિસ્થિતિ જાેતા જણાવ્યું છે. શાળાનો પીલર ભારે વરસાદ થાય અને તૂટી જાય તો જવાબદાર કોણ? શિક્ષકો, બાળકો હાલ જીવના જાેખમે શાળામા બેસી રહ્યા છે. સૌથી મોટું શિક્ષણનું બજેટ હોય હજુ રાત્રી સભાની રજૂઆત બાદ પણ કોઈ અધિકારી આ પ્રશ્ન હલ કરવા પ્રયાસ કર્યા નથી. ત્યારે રાત્રી સભા ફક્ત કાગળ પૂરતી હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા વગુમા ગામે કોમ્યુનિટી હોલ પડ્યો હતો. તેમ શાળા પડી જાય તો મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે.