દિલ્હી-

રાજસ્થાનમાં વરિષ્ઠ સામે યુવા નેતાઓ વચ્ચેની અથડામણ પૂરજાેશમાં છે અને આ કારણે જ રાજ્ય સરકાર પર સંકટના વાદળો ઘેરાયેલા છે. અગાઉ મધ્ય પ્રદેશમાં પણ આ પ્રકારની સ્થિતિ જ જાેવા મળી હતી. ત્યાર બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી છોડી દીધી હતી અને તેમના સાથે ૨૦થી પણ વધારે ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધું હતું જેથી કમલનાથે પોતાની ખુરશી ગુમાવવી પડી હતી.

આ બધા વચ્ચે સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે રાહુલ ગાંધીએ યુવા નેતાઓ પાર્ટી છોડે છે તેની ટીકા કરી છે. રાહુલ ગાંધીએ યુવા નેતાઓના જવાથી પાર્ટીને કોઈ નુકસાન નહીં થાય અને તેનાથી નવા નેતાઓ માટે અવસર સર્જાશે તે અર્થનું નિવેદન આપ્યું હતું.

એક તરફ રાજસ્થાનમાં રાજકીય ઉથલ પાથલ મચેલી છે અને તેવા સમયે જ રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યું છે જેથી પાર્ટી પૂર્વ નાયબ મુખ્યમંત્રીને પાછા લાવવા પ્રયત્ન કરી રહી છે તેવી અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. પાર્ટીના વિદ્યાર્થી એકમ એનએસયુઆઈની બેઠકને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કોઈનું નામ નહોતું લીધું પરંતુ તેમની આ ટિપ્પણી સ્પષ્ટપણે જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટને અનુલક્ષીને જ હતી.

તમારે આ પ્રકારના ઘટનાક્રમોને લઈ ચિંતિત ન થવું જાેઈએ. તેનાથી તમારા માટે અવસરો ખુલશે.' તે અર્થનું નિવેદન આપ્યું હતું. એક સદસ્ય દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે રાહુલ ગાંધીએ 'પુંછડી દબાવીને ભાગ્યા' તે અર્થના હિંદી રૂઢિપ્રયોગનો પણ ઉપયોગ કર્યો હતો પરંતુ તેની કોઈ પૃષ્ટિ નથી થઈ શકી.