આણંદ, તા.૨૨ 

આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. રોજ નવાં કેસ સામે આવી રહ્યાં છે. જિલ્લામાં કોરોના વાઇરસના વધુ બે પોઝિટિવ નોંધાયા છે. આણંદ શહેરના ઝેનબ પાર્કમાં રહેતા ૫૫ વર્ષીય પુરુષ અને ખંભાત શહેરના કંસારી રોડ પર આવેલ જલારામ મંદિરની બાજુમાં રહેતાં એક ૬૫ વર્ષની મહિલા કોરોનાની ચપેટમાં આવી ગયાં છે. આ સાથે જ આણંદ જિલ્લામાં કોરોનાનો કુલ આંક ૧૫૭ થયો છે. અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં કોરોનાના કુલ ૪૪૯૦ સેમ્પલ તપાસવામાં આવેલ જે પૈકી ૪૩૩૩ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવે છે. અને ૧૫૭ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે અને ૧૨૬ દર્દીઓને સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલમાથી રજા આપવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૧૩ અને નોન-કોવિડ ૬ દર્દી સહિત ૧૯ લોકોના મોત થઈ ચૂક્યાં છે. હાલમાં કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ૧૦ દર્દી તેમજ વડોદરા અને ખંભાતની હોસ્પિટલમાં ૧-૧ દર્દી સારવાર હેઠળ છે.