દિલ્હી-

મોદી સરકાર પર નિશાન સાધતા ભૂતપૂર્વ વડા પ્રધાન ડો.મનમોહન સિંહે મંગળવારે ફરી એક વખત નોટબંધીના ર્નિણયને ખોટો ગણાવ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકારનાં આ સમજી વિચારીને કરેલા ર્નિણયને લીધે દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે અને અસંગઠિત ક્ષેત્ર ખંડેર થઇ ગયુ છે.

ચૂંટણીલક્ષી કેરળમાં કોંગ્રેસ પાર્ટીનાં થિંક ટેંક રાજીવ ગાંધી ડેવલોપમેન્ટ સ્ટડીઝની વર્ચુઅલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતાં મનમોહનસિંહે કહ્યું હતું કે, સરકાર અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા કામચલાઉ પગલાઓ દ્વારા ક્રેડિટ સમસ્યાને છુપાવી શકાય નહી. “વેઇટિંગ ૨૦૨૦” નામની એક કોન્ફરન્સમાં ભૂતપૂર્વ વડાપ્રધાને કહ્યું, “બેરોજગારી વધારે છે અને અસંગઠિત ક્ષેત્ર ધરાશાહી થઇ ચુક્યું છે.” આ સંકટ ૨૦૧૬ માં થયેલા વિચાર વિહીન ડિમોનેટાઇઝેશન ર્નિણયથી ઉદ્ભવ્યું છે.” ચૂંટણી પૂર્વે યોજાયેલા આ સમારોહનો હેતુ કેરળનાં વિકાસ માટે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવાનો છે.

મનમોહનસિંહે કહ્યું કે, “સંઘવાદ અને રાજ્યોની સાથે નિયમિત પરામર્શ, જે ભારતની આર્થિક અને રાજનીતિક આધારશિલા અને બંધારણમાં નિહિત દર્શન છે, તેને વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા મહત્વ આપવામાં આવ્યું નથી.” કેરળનાં વિકાસ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી વખતે મનમોહનસિંહે કહ્યું કે રાજ્યમાં સામાજિક ધોરણો ઉંચા છે, પરંતુ ભવિષ્યમાં, અન્ય ક્ષેત્રો પર ધ્યાન આપવાની જરૂર છે. પૂર્વ વડા પ્રધાને કહ્યું કે, અહીં ઘણા અવરોધો છે, જેને રાજ્યએ પાર કરવુ પડશે. તેમણે કહ્યું કે, આઇટી ક્ષેત્ર ડિજિટલ મોડને કારણે કામ કરી રહ્યું છે, પરંતુ રોગચાળાએ પર્યટન ક્ષેત્ર પર ખૂબ ખરાબ અસર કરી છે. તેમણે કહ્યું કે, શિક્ષણ અને આરોગ્ય પર કેન્દ્રિત થવાને કારણે કેરળનાં લોકો દેશ અને વિશ્વનાં તમામ ભાગોમાં નોકરી મેળવી શક્યા છે.