વડોદરા-

વડોદરા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે વડોદરા તાલુકાના ગ્રામ વિસ્તારોની મુલાકાત લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે,ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા અને ડોર ટુ ડોર સર્વેક્ષણ ની ટીમો દ્વારા કોવિડ નો ચેપ રોકવા માટે થઈ રહેલી સઘન આરોગ્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અગાઉ જે લોકો કોરોના મુક્ત થયાં છે એવા ગ્રામ જનોની ભાળ લેવાની સાથે આરોગ્ય ટીમોની કામગીરી અંગે લોક અભિપ્રાયો મેળવ્યા હતા અને હકારાત્મક લોક અભિપ્રાય માટે આરોગ્યના કર્મયોગીઓને બિરદાવ્યા હતા. તેમણે ખાસ કરીને સગર્ભા મહિલા તબીબ અને એ. એન.એમ.બહેનની ફરજ પરસ્તીને પ્રેરક ગણાવી ને બિરદાવી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવત આ મુલાકાત દરમિયાન તેમની સાથે રહ્યાં હતા. તેમણે ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત સમયે રેપિડ એન્ટીજન ટેસ્ટ માટેના સેમ્પલિંગ ની કાર્યવાહી નું નિરીક્ષણ કરવાની સાથે,જેમનો ટેસ્ટ નેગેટિવ આવે અને તેમ છતાં,કોરોના ના લક્ષણો જણાતા હોય તેવા લોકોનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ અવશ્ય કરવાની સૂચના આપી હતી.

હાલમાં જિલ્લામાં 32 ધન્વંતરિ આરોગ્ય રથો દ્વારા , પ્રત્યેક રથ દીઠ દિવસના 100 થી 120 લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે.કલેકટરશ્રી એ સેવાસી ખાતે આરોગ્ય રથ દ્વારા નિદાન,સારવાર અને સેમ્પ્લીંગ ની થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવાની સાથે કામગીરીને વધુ અસરકારક બનાવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેવીજ રીતે તેમણે અંકોડીયા ગામે આરોગ્ય ટીમ દ્વારા થઈ રહેલી ડોર ટુ ડોર સર્વે ની કામગીરી નિહાળવાની સાથે વડીલો અને બાળકો ની આરોગ્ય વિષયક અને સેવા વિષયક પૃચ્છા કરી હતી.લોકો એ આરોગ્ય સેવાઓને સંતોષજનક ગણાવી હતી. તેમણે લોકો સાથે સંવાદ કર્યો હતો અને આરોગ્ય અંગે પૃચ્છા કરવાની સાથે માસ્ક અવશ્ય પહેરવા,બિન જરૂરી અવર જવર સદંતર ટાળવા અને સોશીયલ ડિસ્ટન્સ પાળવા, સેનિતાઇઝેસન અને સાબુ થી હાથ ધોવા ના નિયમો નું પાલન કરવા અને ભીડભાડ કરવાથી અને એવી જગ્યાઓ થી દુર રહેવા ખાસ અનુરોધ કર્યો હતો અને સાવચેતી ને જ શ્રેષ્ઠ ગણવા જણાવ્યું હતું.. તેમણે સંનિષ્ઠ કામગીરી માટે તબીબો અને આરોગ્ય કર્મચારીઓને બિરદાવ્યા હતા