વડતાલ-

વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. એકવાર ફરીથી ગુરૂ દ્વારા શિષ્ય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના આક્ષેપ લાગ્યા છે. આ મામલે વીડિયો વાયરલ થયો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ એકવાર ફરીથી વિવાદમાં આવ્યા છે. સ્વામિના કરતૂતોનો શિષ્યએ વીડિયો વાયરલ કર્યો છે. વડતાલ મંદિરના કોઠારી ઘનશ્યામ પ્રકાશ કંડારી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે.

વેદાંત વલ્લભ સ્વામીએ કોઠારી ઘનશ્યામ પ્રકાશ કંડારી સૃષ્ટિ વિરુદ્વના કૃત્યનો આક્ષેપ લગાવ્યો છે. વેદાંત વલ્લભ સ્વામી ઘનશ્યામ પ્રકાશ કંડારીના શિષ્ય છે. વેદાંતવલ્લભ સ્વામીએ ૪૪ મિનિટનો વીડિયો વાયરલ કર્યો છે. ઘનશ્યામ પ્રકાશ કંડારી સ્વામી દેવ પક્ષના સ્વામી છે. ઘનશ્યામ પ્રકાશ કંડારી સ્વામીની અનેક સંસ્થાઓ છે.