પ્રથમ પૂજનીય અને શુભ કાર્યોમાં જેની પૂજા પ્રથમ કરવામાં આવે છે તે ગૌરીનંદન તથા શિવપૂત્ર વિઘ્નહર્તા ગજાનન ગણેશજીનો સોમવારે પ્રાગટ્ય દિન હતો. આ પાવન અવસરે શહેરભરના ગણેશ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ગણેશ યાગ સહિત પૂજન – અર્ચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેરના અકોટા – દાંડિયાબજાર બ્રીજ પાસે બદામડી બાગ સામે આવેલા શનિ મંદિરમાં ગૌરીનંદન ગણેશજી તેમજ રિદ્ધિ-સિદ્ધિની પૂજા અર્ચના કરવામાં આવી હતી. વળી આ મંદિરમાં ગજાનન સહિત રિદ્ધિ સિદ્ધિનીમૂર્તિની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થયું હતું. શહેરના ગણેશ ભક્તો વાર તહેવારે આ મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે અને નાગરીકોના આસ્થા સમાન મંદિરમાં ગજાનન અને રિદ્ધિ સિદ્ધિની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થયું હતુ. આ પ્રસંગે મંદિર પરિસરમાં સોમવારે સવારના સમયે ગણેશ યાગ અને હવનની પૂજા અર્ચના રાખવામાં આવી હતી તેમજ સાંજે નાળિયેર હોમવાનું આયોજન કરાયું હતુ. આ પ્રસંગે શહેરના ગણેશ ભક્તો મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments