વડોદરા,તા.૧૧
વડોદરાના મજલપુરના ધારાસભ્ય અને રાજ્યના નર્મદા મંત્રી યોગેશ પટેલની લાલ આંખને લઈને સ્થાયી સમિતિ દ્વારા આજવા સરોવરથી નિમેટા પ્લાન્ટ સુધીના રૂપિયા ૬૮ કરોડ કરતા વધુ રકમના કામને મુલતવી રાખવામાં આવ્યું હતું.હવે આ કામને આગામી સ્થાયી સમિતિમાં હાથ પર લઈને મંજૂરીની મોહર મરાશે.વડોદરા પાલિકા હસ્તકના આજવા સરોવરથી નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી નવીન નળિકા નાખવાની તથા નિમેટા ખાતે નવીન ૫૦ એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ કરાનાર છે.આ કામમાં પાંચ વર્ષના ઓપેરેશન અને મેન્ટેનન્સની સહિતની કામગીરીને માટે વિવિધ ઇજારદારો પૈકી લોએસ્ટ ઇજારદાર મેસર્સ વેલજી રત્ના સોરઠીયા ફારા પ્રાઇવેટ લિમિટેડના રૂપિયા ૬૮,૦૪,૮૦,૯૦૫/-ની રકમના અંદાજિત રકમ કરતા ૪.૪૯% ઓછાના ભાવ પત્રકને મંજૂરીની મોહર મરાશે.અગાઉ મળેલી સ્થાયી સમિતિની સભામાં નર્મદા મંત્રી યોગેશ પટેલના આ કામમાં સુધારા વધારાના સૂચનને ધ્યાનમાં લઈને કામ મુલતવી રાખવામાં આવ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments