શ્રીનગર-
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. રાજૌરીના થન્ના મંડી વિસ્તારમાં આતંકીઓ સાથે ચાલી રહેલા એનકાઉન્ટરમાં સુરક્ષાવ દળોએ એક આતંકીને ઠાર કરી દીધો છે. પરંતુ આ દરમિયાન ભારતીય સેનાના પણ શહીદ થઈ ગયા છે. સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ મળીને જાેઈન્ટ ઓપરેશન ચલાવી રહ્યાં છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડાણ ગુરૂવારે બપોરે શરૂ થઈ અને આ વિસ્તારમાં ત્રણ-ચાર આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે. આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું, જેમાં સેનાના એક શહીદ થઈ ગયા છે. ત્યારબાદ સુરક્ષાદળોના જવાબી ફાયરિંગમાં એક આતંકીનું મોત થયું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments