વડગામ : પાલનપુર હરિપુરા વિસ્તારમાં આવેલ માનસરોવર તળાવમાં એક યુવક ડુબી જતા મોત નિપજ્યુ છે.જેના પગલે આજુબાજુથી લોકોના ટોળે-ટોળા એકત્ર થઇ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.પાલનપુર હરિપુરા વિસ્તારમાં જયંતીભાઇ પ્રકાશભાઇ પારીવારીક કામ અર્થે આવ્યા હતા.તે સમયે કોઇ અગમ્ય કારણોસર પાલનપુર માનસરોવર તળાવમાં પડી ગયા હતા.જેના પગલે આજુ-બાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. કલાકોની મથામણ કરવા છતા મૃતદેહ બહાર કાઢી શકાયો ન હતો.ત્યારબાદ સ્થાનિક તરવૈયા શ્યામભાઇ વઢીયારએ તળાવમાં છલાંગ લગાવા ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે પાલનપુર સિવિલમાં ખસેડી શું કારણથી આઘટના બની તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.