ભરૂચ, ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના યુવાનો રોજગારી માટે વિદેશની ધરતી પર જાય છે.ત્યારે કેટલીકવાર યેનકેન પ્રકારે માદરે વતનની ભૂમિ પર પરત આવી શકતા નથી અને વિવિધ કારણોસર મૃત્યુને શરણે જાય છે.આવો જ એક બનાવ તાજેતરની પરિસ્થિતિ એટલે કે કોરોનાને કારણે એક આશાસ્પદ યુવાન મૃત્યુને શરણે ગયો છે. 

જંબુસર તાલુકાના કાવી ગામના આશાસ્પદ ૨૬ વર્ષીય યુવાન ઈરફાન ઈબ્રાહીમ લીલી વાલા રોજગાર અર્થે પોતાની પત્ની અને બે વર્ષની નાની દીકરીને માદરે વતનમાં મૂકી પરદેશની ભૂમિ પર એટલે કે દક્ષિણ આફ્રિકાના જતીન શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગયો હતો.ત્યાં પોતાના મિત્રોની સાથે હાર્ડવેરની દુકાન માં પાર્ટનર તરીકે કામ કરતો હતો પોતાના મિત્ર સાથે માદરે વતન આવવાનો હોય જેથી કોવિડ ૧૯ ના નીતિ નિયમો પ્રમાણે ૭૨ કલાક અગાઉ કોરોના ટેસ્ટ કરાવવાનો હોય જેથી ઈરફાન લીલી વાલાએ કોરોના ટેસ્ટ કરાવતા તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેથી તે વતનમાં આવી શક્યો ન હતો અને થોડા જ કલાકોની ગણતરીમાં કોરોના ને કારણે તેનું મરણ થયું હતું.

ઘરનો આધારસ્તંભ જવાથી ઘરમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો તેઓ તેમની પાછળ માતા તેમની બે બહેનો અને ધર્મ પત્ની તેમજ બે વર્ષની દીકરી ને વિલાપ કરતા મૂકી ગયા હતા સમગ્ર બનાવની જાણ કાવી ગામે થતા સમગ્ર લીલી વાલા પરિવાર શોકમાં ડૂબી ગયું હતું.