ગાંધીનગર-

ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં 900 જેટલા સીએનજી સ્ટેશનો કાર્યરત કરવાનો નિધર્રિ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે પ્રદૂષણ મુક્ત અને પયર્વિરણ પ્રિય એવા સીએનજીનો ઉપયોગ વધુ ને વધુ થાય તેમ તેનાથી ગુજરાત પ્રદૂષણ મુક્ત બને તે દિશામાં પહેલ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સીએનજી સહભાગી યોજના ના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં 164 નવા સીએનજી સ્ટેશન કાર્યરત કરવાના લેટર ઓફ ઇન્ટેટનો ઇ-વિતરણ સમારોહ યોજાયો હતો. અત્રે નોંધવુ જરૂરી છે કે ગુજરાતમાં છેલ્લા 23 વર્ષ દરમિયાન 542 જેટલા સીએનજી સ્ટેશન સામે પાછલા બે વર્ષ દરમિયાન 384 નવા સીએનજી સ્ટેશનો ઉભા થઇ ગયા છે હવે રાજ્યમાં વાહનચાલકોને સરળતાથી સીએનજી મળી રહેશે. ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણના પડકાર સામે ઝીરો-ટોલરન્સ નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 23 વર્ષ દરમિયાન 542 સીએનજી સ્ટેશનો કાર્યરત થયા છે પરંતુ પાછલા બે વર્ષ દરમિયાન નવા 384 સીએનજી સ્ટેશનો ઉભા થયા છે ગુજરાતે પયર્વિરણ સંરક્ષણ ની દિશામાં મહત્વના પગલાં ભયર્િ છે. 

અત્રે નોંધવું જરૂરી છે કે સમગ્ર ભારતમાં કુલ 2300 જેટલા સ્ટેશનો છે સૌથી વધુ સીએનજી સ્ટેશન એકલા ગુજરાતમાં ઉપલબ્ધ છે જે દેશની કુલ સંખ્યાના સીએનજી સ્ટેશનો ના 60 ટકા થવા જાય છે. આગામી દિવસોમાં રાજ્યમાં 900 જેટલા સીએનજી સ્ટેશનો કાર્યરત કરવાની નેમ મુખ્યમંત્રી વિજય રૂપાણી વ્યક્ત કરી હતી. સી એન જી વાહનોના વધુ ઉપયોગથી પયર્વિરણ સંરક્ષણ સાથે વિકાસની ગતિ જારી રાખવાનો નિધર્રિ પણ વ્યક્ત કર્યો છે.