નવી દિલ્હી-

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ અહેમદપટેલને દિલ્હીની હોસ્પીટલમાં દાખલ કરાયા છે. ફરીદાબાદની હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે. થોડા દિવસથી તેઓની કોરોના અંગે સારવાર ચાલતી હતી.

ગુજરાત કોંગ્રેસ ના દિગ્ગજ નેતા અને કોંગ્રેસ ની કિચન કેબિનેટના મહત્વના સભ્ય મનાતા અહેમદ પટેલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, અને હાલમાં તેમને વધુની સારવાર માટે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી મળી રહી છે. કોંગ્રેસવચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી ના રાજકીય સલાહકાર એવા અહેમદ પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં, તેમને ફરીદાબાદથી દિલ્હીની હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હાલ તેમની હાલટ સ્થિર છે અને ડોકટરોની દેખરેખમાં છે.ગુજરાત કોંગ્રેસ અગ્રણીઓ  અર્જુન મોઢવાડીયા ત્થા અમિત ચાવડાએ તેમના ખબર અંતર પૂછયા હતા.